જૂનાગઢ મસ્જીદે રઝામાં હુઝુર તાજુશ્શરીયાહના ઉર્ષ શરીફ નિમિતે શાનદાર જલ્સાનું આયોજન

0

જૂનાગઢ ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વોચ્ચ સુન્નીઓના વડા હુઝુર તાજુશ્શરીયાહ હઝરત અલ્લામાં મુફતી મોહંમદ અખ્તર રઝાખાં સાહેબ રહમતુલ્લાહી તઆલા અલયહના છઠ્ઠા વાર્ષિક ઉર્ષ શરીફ નિમિતે મર્કઝે એહલે સુન્નત, મસ્જીદે રઝા, જૂનાગઢ ખાતે તા.૧૯-પ-ર૦ર૪ રવિવારે સાંજે મગરીબની નમાઝ બાદથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહના ગાદીનશીન પીરે તરીકત, હુઝુર ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ સાહેબ નૂરીના પ્રમુખસ્થાને શાનદાર જલ્સાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બુલબુલે બાગે મદીના મૌલાના કારી નિયાઝ એહમદ સાહેબ તેમના મધુર કંઠે નાતે રસુલ તથા મનકબત પેશ કરશે. ત્યાર બાદ ખલીફએ હુઝુર તાજુશ્શરીયા હઝરત સૈયદ સિકંદર બાપુ રઝવી નૂરી – રાજકોટ શાનદાર તકરીર ફરમાવશે. આ જલ્સામાં મુફતી હસીબુર્રહમાન સાહેબ, હાફીઝ મો. સાબીર રઝા સાહેબ, મૌલાના સૈયદ સાજીદ બાપુ સાહેબ, હાફીઝ કારી મોહંમદ રાશીદ સાહેબ, મૌલાના કારી રેહાન રઝા સાહેબ, મૌલાના ઈસ્માઈલ સાહેબ બરકાતી, હાફીઝ કારી રૂહુલ અમીન સાહેબ ઉપરાંત જૂનાગઢના ઉલ્માએ કિરામ ખાસ હાજરી આપશે. જલ્સા બાદ આમ ન્યાઝનું પણ આયોજન કરવામાં આવેલ છે. જલ્સો પુર્ણ થતા ઈશાંની નમાઝ જમાત સાથે અદા કરવામાં આવશે. આ જલ્સામાં સર્વે મુસ્લીમ બિરાદરોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ-જૂનાગઢની યાદી જણાવે છે.

error: Content is protected !!