કારનો સોદો કરી ૧.૫૫ લાખની છેતરપિંડી કરી : બે સામે પોલીસ ફરિયાદ

0

દ્વારકાના વતની અને હાલ તાલાલામાં રહેતા જયેશભાઈ બાબુભાઈ ઘેડિયા હરીપુર ગામે આવેલ સોમનાથ ફાર્મર રસોયા તરીકે કામ કરતા હતા ત્યારે તેમના ફાર્મની બાજુમાં આવેલ રેસ્ટોરન્ટ એન્ડ ફાર્મ હાઉસ સંભાળતા સુરતના ભરતભાઈ પટેલ અને તેના પાર્ટનર નગીચાણા ગામના જગદીશભાઈ નંદાણીયા સાથે ઓળખાણ થઈ હતી. તા.૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ જગદીશભાઈ નંદાણીયાએ જયેશભાઈની રૂપિયા ૧.૫૫ લાખની જીજે ૦૯ બીએ ૪૪૨૬ નંબરની કારનો સોદો કરીને લઈ ગયા હતા અને ભરતભાઈ પટેલે રૂપિયા અપાવી દેવાની જવાબદારી લીધી હતી. આજ દિન સુધી બંનેએ કારના રૂપિયા નહીં આપી છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ જયેશ ઘેડીયાએ કરતા મેંદરડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!