ખંભાળિયા નજીક ટ્રેનની અડફેટે ગાય ઇજાગ્રસ્ત

0

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામ પાસેથી બુધવારે સાંજે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલી એક ટ્રેન આડે અચાનક એક ગાય ઉતરી ચડતા ટ્રેનની ઠોકરે આ ગાય માતા ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકર દેશુરભાઈ ધમા સહિતના કાર્યકરોએ આ ગાયની જરૂરી સારવાર કરી અને તાકીદે અહીંની અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે પહોંચાડવાની કામગીરી કરી હતી.

error: Content is protected !!