વડતાલ સંપ્રદાયના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ધર્મશાળાને હોસ્પીટલ માટે અર્પણ

0

તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ અતિથિ ભુવન કે જે ખુબજ સુંદર ભવન જેમાં સંપૂર્ણ એસી, ફાયર સેફટી, યુટીલીટી વ્યવસ્થાઓ તેમજ ડોકટર, નર્સ, સ્ટાફ, સિકયુરિટી માટે રહેવા જમવાની પણ યોગ્ય વ્યવસ્થા વડતાલ તાબનાના શ્રી હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા કરવામાં આવી રહી છે. વડતાલ ગાદીના આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજએ સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીને આશીર્વાદ સાથે આજ્ઞા પણ આપી છે કે, સરકારના કોરોના વાયરસ અટકાવવાના અભિયાનમાં શકય તેટલી આર્થિક વસ્તુ પદાર્થ, અનાજ કીટ, ભોજન તથા સેલ્ટર હોમ કોરેન્ટાઈન માટે તથા આઈસોલેશન માટે ઉતારા વગેરેની મદદ કરવાની ભલામણ કરી છે.

error: Content is protected !!