જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં ગ્રાઉન્ડમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

0

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં સ્કુલ ગ્રાઉન્ડમાં એન.વી.એમ. ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એન.એમ. ગ્રુપના ક્રિકેટર મોહસીન મકરાણીનું અવસાન થોડા સમય પહેલા થયું હતું તેની યાદમાં મોહસીન કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એન.વી.એમ ગ્રુપના સિકંદરભાઈ શેખ, અબ્બાસભાઈ કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરની આઠ ટીમો દ્વારા આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે ફાઈનલ મેચમાં જૂનાગઢની આર.કે ટીમ વિજેતા થઇ હતી. વિજેતાઓને રજાકભાઈ હુસેનભાઇ હાલા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રનર્સ-અપ ટીમના ફાસ્ટ બોલર તરીકે સાકીર કાદરી અને બેસ્ટ બેટમેન તરીકે નફીસ બાબીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જયારે વિજેતા થનાર આર.કે ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કોવીડ-૧૯ના નિયમ અનુસાર કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!