માંગરોળ સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક દેવજીની ૫૫૨મી જન્મ જયંતિની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ સિન્ધી સમાજ દ્વારા જગતગુરૂ શ્રી ગુરૂનાનક દેવજીના ૫૫૨માં પ્રકાશ પર્વની ઉજવણી ખુબ જ શ્રદ્ધા અને હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી સમાજની માતાઓ-બહેનો દ્વારા દરરોજ સવારે પાંચ વાગે પ્રભાતવેલે સત્સંગ, કથા, તુલસી પુજા, વાહેગુરૂ સિમરન અરદાસ તેમજ સમુહ આરતી કરી ગુરૂનાનક દેવના આગમન દિવસોની ખુબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે કારતક સુદ પુનમ શ્રી ગુરૂનાનક જયંતિના દિવસે વહેલી સવારે ઝુલેલાલ મંદિરે પુજા, પાઠ, કથા કરી પાલખી સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. તેમજ સાંજે સત્સંગ ર્કિતન કથા તેમજ સમુહ લંગર પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સિન્ધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી, સમસ્ત સિન્ધી નવ યુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ સુનીલભાઈ કોટક, ચિરગભાઈ સાવલાણી, વિશનદાસ ચંદાણી, પ્રદિપભાઈ રંગલાણી, પ્રકાશભાઈ તન્ના સહિત આગેવાન દ્વારા ગુરૂનાનક દેવજીના ૫૫૨માં જન્મોત્સવનું કેક નાના બાળકોના હસ્તે કપાવી પધારેલ મહેમાનો સહિત સમાજના તમામ લોકોનું મોઢુ મીઠુ કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણના કારણે બે વર્ષથી શ્રી ગુરૂનાનક જયંતીની ઉજવણી બિલકુલ સાદાઈથી કરાઈ હતી. ત્યારે આ વર્ષ માંગરોળ સિન્ધી સમાજ દ્વારા ખુબ જ શ્રદ્ધા અને હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!