જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે  જનરલ બોર્ડ, પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે યોજવામાં આવી છે. આ બેઠકમાં  શાસક પક્ષની ટીમ આ ઉપરાંત કમિશ્નર રાજેશ તન્ના સહીતનાં પદાધિકારીઓ ઉપરાંત વિરોધ પક્ષનાં પદાધિકારીઓ અને મનપાનાં તમામ કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં આજે યોજાય રહેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં એક તરફ શાસક પક્ષ દ્વારા વિકાસનાં કામો અંગે વિગતો આપવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલની તા. ૩૧ જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી હોય તેમનાં માટે આ બોર્ડ અંતિમ બની રહયું છે. તેઓનાં કાર્યકાળ દરમ્યાન પ્રજાહિતનાં કરેલા વિકાસ કામો દર્શાવવામાં આવનાર છે.

error: Content is protected !!