બાંટવાનાં નાનાડીયા ગામ પાસે બનેલા બનાવમાં છકડો રીક્ષાને કારે ઉલાળતા માંગરોળનાં ફુલરામા ગામનાં કેશુભાઈ પરમારનું અકસ્માતે મૃત્યું

0

માંગરોળના ઘેડ વિસ્તારમાં ફુલરામા ગામે રહેતાં કેશુભાઇ મુળુભાઇ પરમાર(ઉ.વ.૩૮) નામના વણકર યુવાનનું બાંટવાના નાનડીયા નજીક વડાળા તરફના રસ્તે વાહન અકસ્માત નડતા ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. જાણવા મળ્યા મુજબ ફુલરામા ગામે રહેતાં કેશુભાઇ પરમાર ૧૬મીએ સાંજે છકડો રિક્ષા હંકારીને જતાં હતાં ત્યારે નાનડીયા નજીક બાંટવા-વડાળા રોડ ઉપર છકડો સાથે કાર અથડાતાં કેશુભાઇને ગંભીર ઇજા થતાં માંગરોળ, જૂનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને જેમીનભાઇ પટેલે કાગળો કર્યા હતાં. મૃત્યું પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!