વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વિવિધ વિસ્તારોમાં રામ ખીચડી અને કપડાનું વિતરણ કરાયું

0

જૂનાગઢ શહેરના જવાહર રોડ, હાટકેશ્વર મહાદેવ મંદિર સહીતના વિસ્તારોમાં મકરસંક્રાંતિ નિમિતે વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ મહાનગર માતૃશક્તિ – દુર્ગાવાહીની ટીમ દ્વારા કપડાનું વિતરણ થયું હતું તેમજ રામ ખીચડી વિતરણ પણ કરાયેલ અને નાના બાળકોને વેફરના પેકેટો આપેલા હતા. આ તકે મોટી સંખ્યામાં દુર્ગાવાહીની બહેનો જાેડાયા હતા. માતૃશક્તિના ૨ કેન્દ્રો તેમજ દુર્ગાવાહીનીના ૩ કેન્દ્રો જૂનાગઢ મહાનગરમાં કાર્યરત છે. આગામી દિવસોમાં પ્રત્યેક વોર્ડમાં દુર્ગાવાહીનીના શક્તિ સાધના કેન્દ્રો શરૂ થશે તેમજ માતૃશક્તિના પણ વોર્ડ વાઇઝ સત્સંગ કેન્દ્રો કાર્યરત થશે. આ તમામ કેન્દ્રો દ્વારા વધુમાં વધુ માતૃશક્તિ તેમજ દુર્ગાવાહિની બહેનોને સંગઠનમાં જાેડવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!