કોરોનાં સંક્રમણને રોકવા જૂનાગઢ સહિત ૮ મહાનગરો, બે શહેર ઉપરાંત વધુ ૧૭ નગરોમાં કરફયુનો અમલ

0

ગુજરાત રાજ્યના ૮ મહાનગરો અને ૨ શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. જયારે હોટેલ્સ-રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલું રાખવાની છૂટ આપવામાં આવી છે. હાલ ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે. પરંતુ કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં વધુ ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ રહેશે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે. જ્યારે, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં  તારીખ ૨૨મી જાન્યુઆરીથી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે. હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલંુ રાખી શકાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!