યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરનાં દ્વાર આજથી ભક્તજનો માટે ખુલ્યા

0

કોરોનાના કેસો વધવા લાગતા છેલ્લા એક સપ્તાહથી દ્વારકાધીશ જગતમંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ કલેકટર, વહીવટદારે આજથી દર્શનાર્થીઓ માટે દર્શનનાં દ્વાર ખુલ્લાં મુકી દીધા છે. જગતમંદિર ઉપરાંત બેટ દ્વારકાધીશ મંદિર અને હનુમાન દાંડી મંદિરના દ્વારો પણ ખોલી દેવાયા છે. મંદિર ખુલ્લા મુકવા સાથે ભાવિકો માટે શરત રાખવામાં આવી છે કે, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું ફરજિયાત છે અને માસ્ક ધારણ કરવું ફરજિયાત કરાયું છે. પ્રત્યક્ષ દર્શન ઉપરાંત દ્વારકાધીશ જગતમંદિરની વેબસાઈટ ઉપર લાઈવ દર્શનની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલું રાખવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!