જૂનાગઢ જીલ્લામાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર થયેલ ઘટાડો : ૨૯ કેસની સામે ૫૩ દર્દી ડિસ્ચાર્જ થયા

0

કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે થોડા દિવસોથી જૂનાગઢ જીલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં નવા કોરોના કેસોમાં ફરી નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ૨૯ જેટલા કોરોનાના નવા કેસો નોંધાયા છે. કેસો વધવાની સ્થિતિ વચ્ચે જૂનાગઢ જીલ્લામાં સારવાર લઇ રહેલ ૫૩ જેટલા દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે. નોંધાયેલા નવા કેસોમાં જીલ્લામાં જૂનાગઢ શહેરમાં ૧૬, જૂનાગઢ ગ્રામ્યમાં ૫, કેશોદમાં ૧, ભેંસાણમાં ૧, માળીયામાં ૧, વંથલીમાં ૧, વિસાવદરમાં ૪ કેસ નોંઘાયા છે. જૂનાગઢ જીલ્લામાં નવા કોરોના કેસોમાં ઘટાડો થતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે. કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જૂનાગઢ જીલ્લામાં પુરજાેશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો જૂનાગઢ જીલ્લામાં ૧૨,૧૫૩ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જયારે જીલ્લામાં કન્ટેટમેન્ટ ઝોનમાં ૫૦૦ ઘરોમાં ૨૪૫૭ લોકો છે. જીલ્લામાં ઘનવંતરી રથોમાં તૈનાત ૪૭ મેડીકલ ટીમોએ ૪૪૮૬ લોકોને ઓપીડી મુજબ તપાસ કરેલ છે.

error: Content is protected !!