ગીર સોમનાથના સોનપરા અને બોડીદર ગામના બે ખેતરોમાં ૧૧ વીઘામાં લહેરાતો ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા

0

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ખેડુતોની માઠી બેઠી હોય તેમ બે ખેતરોમાં કુલ ૧૧ વિધામાં વાવણી કરેલ ઘઉંના ઉભા પાક ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખો ખરી જવાથી આગ લાગેલ જેના લીધે પાક બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયુ છે. તો આ ઘટનાના લીધે ખેડુતની વર્ષભરની મહેનત એળે ગઈ હોવાથી સત્વરે વળતર ચુકવવા ગુહાર કરવામાં આવી છે. આ બંને ઘટના ગીરગઢડાના સોનપરા અને બોડીદર ગામના ખેતરમાં બની હોવા ઉપરાંત છાશવારે આવી રીતે ખેતરોમાં આગ લાગવાની ઘટના બની રહી હોવાથી ખેડુતો બેહાલ બની ગયા છે. ગીર ગઢડા તાલુકાના ડોળાસા ગામે હજુ તો બે દિવસ પહેલા જ એક ગરીબ ખેડુતના અઢી વીઘાના ઘઉંના પાક ઉપર વીજ પોલ ઉપરથી તણખો ખરતા સંપુર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેની આગ હજુ ઠંડી પડે તે પહેલા આવી જ બે આગની ઘટનાઓ તાલુકાના બે ગામોમાં બની છે. જેમાં આગ પ્રથમ તાલુકાના સોનપરા ગામની સીમમાં ખેડુત જેરામગીરી પ્રેમગીરીની પાંચ વીઘા ખેતીની જમીન આવેલ છે. જે પૈકી ચાર વીઘા જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યુ હતુ. તો આ વર્ષે સારી માવજતના કારણે ઘઉંનો પાક પણ સારો હોવાથી ભાવ સારો મળવાની ખેડુતએ આશા સેવી હતી. પરંતુ આ ખેડુતના નસીબમાં કંઇક જુદુ લખ્યુ હોય તેમ તેના ખેતરના શેઢેથી ૧૧ કેવીની લાઇનના વીજ વાયરો પસાર થાય છે. જે ગત વર્ષે આવેલ વાવાઝોડાના કારણે ઢીલા પડી ગયા હતા. જેથી આ બાબતે અનેકવાર વીજ તંત્રને રજુઆત કરેલ તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. દરમ્યાન વીજ વાયરોમાંથી તણખા ખરીને નીચે ખેતરમાં લહેરાતા ઘઉના પાક ઉપર પડતા એકાએક  આગ ભભુકી ઉઠેલ જેમાં સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ સમયે આગને ઠારવા માટે આસપાસના તમામ ખેડૂતોએ દોડી આવી પ્રયાસ હાથ ધરેલ અને બે કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. ત્યાં સુધીમાં ચાર વીઘામાં તૈયાર ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો હતો. આમ વીજ વિભાગની બેદરકારીએ આ ગરીબ ખેડુતની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દઈ આજીવિકા છીનવી લીધીની પરિસ્થિતિ સર્જાય છે. આ ખેડૂતે લાગતા વળગતા અધિકારીઓને ઘટનાની ફરીયાદ કરી છે.  તો બીજી આવી ઘટના પણ ગીરગઢડા તાલુકાના બોડીદર ગામે બની હતી. જેમાં ગામની સીમમાં બોડીદરમાં જ રહેતા ખેડુત દિપુભાઈ ગોવિંદભાઈ પરમારનું સીમમાં દસેક વીઘાનું ખેતર આવેલ છે. જેમાં ૭ વીઘામાં તેમના દ્વારા ઘઉંના પાકનું વાવેતર કરાયેલ જે હાલ તૈયાર થઈ ગયો હોય ખેતરમાં લહેરાતો હતો. દરમ્યાન ખેતર ઉપરથી પસાર થતી વીજ વિભાગની લાઈનમાંથી કોઈ કારણોસર તણખા ઝરવા લાગેલ હતા. જે નીચે લહેરાતા ઘઉંના પાક ઉપર પડતા આગ ભભૂકી ઉઠેલ અને જાેત જાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જેના લીધે ૭ વીઘામાં લહેરાતો ઘઉંનો પાક સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા ખેડુતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. વીજ વાયરોના કારણે આગ લાગી હોવાનો ખેડૂતએ આક્ષેપ કર્યો હતો. ગીરગઢડા પંથકમાં વારંવાર ખેતરોમાં વીજ વાયરોના કારણે આગ લાગતી ઘટનાઓથી ખેડુતોની મહેનત ઉપર પાણી ફેરવાય જવાની સાથે આર્થીક નુકસાની સહન કરવી પડતી હોવાથી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે આવી ઘટનાઓ રોકવા વીજ વિભાગ ઘટતી કાર્યવાહી કરે અને આગની ઘટનાથી અસરગ્રસ્ત બનતા ખેડુતોને રાજ્ય સરકાર વળતર રૂપી સહાય કરે તેવી સોનપરા ગામના સરપંચ ઉમેશભાઈ વાઢેર દ્વારા માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!