આજથી હોળાષ્ટકનો પ્રારંભ, ચાંદીની પીચકારી અબીલ ગુલાલની પોટલી સંગ

0

આજથી હોળાષ્ટકનો પ્રારંભ થતો હોય, દ્વારકાધીશ જગતમંદિરના પૂજારી દિપકભાઈ તથા પ્રણવભાઈ પૂજારીના જણાવ્યાનુસાર આજથી દોલોત્સવ સુધી જગતમંદિરમાં ઠાકોરજીને સવારે શ્રૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શ્રૃંગાર કરવામાં આવશે. આ ઉપરાંત બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પીચકારી તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શ્રૃંગાર કરાશે. દોલોત્સવ ઠાકોરજીની પ્રસાદીરૂપે પોટલીઓથી ભાવિકો અબીલ ગુલાલના રંગે રંગાશે  તા.૧૮મીના શુક્રવારના રોજ ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં જગતમંદિરમાં બપોરે ૧ઃ૩૦ થી ૩ઃ૩૦ દરમ્યાન દોલોત્સવની ભાવિકો સન્મુખ ઉજવણી કરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!