મુખ્યમંત્રીએ પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી

0

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા’ના આહવાનને પગલે સમગ્ર રાજ્યમાં ઘરે ઘરે તિરંગા ફરકાવીને આ ૭૬માં સ્વતંત્રતા પર્વને આપણે એક નવી ચેતનાનું પર્વ બનાવ્યું છે. દેશની આઝાદીમાં બલિદાન આપનાર અનેક સપૂતોના ત્યાગ, તપસ્યા અને બલિદાનની પૃષ્ઠભૂમિ પર આજે આઝાદીની આ બુલંદ બૂનિયાદ આપણને મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રાને આઝાદીના અમૃત વર્ષે તેજ ગતિથી આગળ ધપાવી ‘આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારત’નો ધ્યેય પાર પાડીએ તેઓ અપિલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, રાજ્યના વિકાસ માટે સમર્પિત ભાવ સાથે વિકાસના વાવટા વધુ ઉન્નત બનાવવાના નિર્ધાર સાથે ‘ટીમ ગુજરાત’ કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે કરેલી મહત્વ પૂર્ણ જાહેરાતો
રાજ્યના બધાજ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ દ્ગહ્લજીછ કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે ? રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. ૧૦,૦૦૦ /- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. ૧૫૦૦૦/- કરવામાં આવશે, રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે., રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂા. ૩૬૭ કરોડના ખર્ચે નવી ૧૨૦૦ મ્જી-૬ બસ સેવામાં મુકવામાં આવશે., રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે છ્‌સ્ મુકવામાં આવશે, વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના, પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે., એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે

error: Content is protected !!