પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં નિમાવત પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

0

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં મધુવન રોડ, મહાપ્રભુજીની બેઠકની બાજુમાં રહેતા સ્વ. મહેશભાઈ દુર્લભદાસ નિમાવત(મહેશબાપુ)(ઉ.વ.૬૫) કે જેઓ સ્વ. યોગેશભાઈ નિમાવતના મોટાભાઈ અને સાગરભાઈ અને પાર્થભાઈના પિતા તેમજ દિપભાઈના મોટાબાપુજી થાય છે. જેમનું તા.૨૨-૯-૨૦૨૨ને ગુરૂવાર, ભાદરવા વદ બારસના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી સંજીવની નેચર ગૃપ માંગરોળના કાર્યકર્તા તેમજ પત્રકાર નરેશબાપુ ગોસ્વામી અને માંગરોળમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્રના સંચાલકને જાણ કરતા રાજેશભાઈ સોલંકી(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ)આને ભરત નંદાણીયા દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. તેમજ આ ચક્ષુનો સ્વિકાર દિવ્યેશભાઈ ઘેરવડા અને સતિષભાઈ જાેટવા દ્વારા કરવામાં આવ્યો હતો અને ભીમશીભાઈ જાેટવા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક,ઝ્ર/ર્ં ડો. થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ, જિ. ગીર-સોમનાથને આ બંને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે. આ ચક્ષુદાનમાં પોરબંદર નેચર ક્લબના સાજણભાઈ ઓડેદરાનો સાથ અને સહકાર રહ્યો હતો તેમજ ચક્ષુદાન લેતી વખતે પરેશભાઈ નિમાવત પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. નિમાવત પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને મહેશભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. નિમાવત પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ગૃપ, વંદેમાતરમ્‌ ગૃપ-માંગરોળ, સ્વ. લક્ષમણભાઈ એ. નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, શ્રી ડુગરગુરૂ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન હ્યુમન રાઇટ્‌ એસોસિએશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.

error: Content is protected !!