જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

0

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીએ પત્રકારોને જિલ્લામાં કુલ ૪ વિધાનસભા બેઠક માટે ૫૮૮ મતદાન મથક લોકેશન ઉપર ૧૦૭૭ મતદાન મથક અને તેને સંલગ્ન સુવિધાઓ, ઈવીએમ તથા વીવીપેટ, હ્લજી, ફજી્‌, ફફ્‌, છઈર્ં વગેરે દેખરેખ એકમની કામગીરી તેમજ આદર્શ આચારસંહિતા સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે વિસ્તૃતમાં માહિતી આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી માહિતી આપતા જણાવ્યું કે, બંધારણ હેઠળ ઘડવામાં આવેલા કાયદા અને નિયમો હેઠળ ભારતના ચૂંટણી આયોગ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે ગીર સોમનાથના ૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડીનાર(એસ.સી) તેમજ ૯૩-ઉનામાં મતવિસ્તારો અને જાંબુરના સીદી સમુદાય માટે વિશિષ્ટ મતદાન મથકો તેમજ તેને લગતી વિવિધ માહિતી આપી સુવિધાઓ અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. તેમણે એ પણ ઉમેર્યું હતું કે, જિલ્લાનું ચૂંટણી તંત્ર ભારતના ચૂંટણી આયોગની સીધી દેખરેખ હેઠળ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદાર થશે અને આદર્શ આચારસંહિતા દરમ્યાન ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ કાર્યરત છે. ઉપરાંત ડિસ્ટ્રિક્ટ કોલ સેન્ટર નંબર ૧૯૫૦ પણ કાર્યરત છે અને સી-વીજીલ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે. આ લોકશાહીના અવસરે જિલ્લામાં ૮૦ની ઉંમરના ૧૯૧૭૧ મતદારો સહિત કુલ ૯,૯૯,૪૧૫ મતદારો ભાગીદાર બનશે.

error: Content is protected !!