કારતક સુદ પૂનમ આવતીકાલે ગુરૂ નાનક જયંતી

0

નાનક સાહેબનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૬૯એ પંજાબના તલવંડીમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. આ જગ્યાને નનકાના સાહિબના નામથી પણ ઓળખવામાં આવે છે. શિખ ધર્મમાં ગુરૂ પર્વનું ખાસ મહત્ત્વ હોય છે. દર વર્ષે કારતક માસની પૂનમની તિથિના દિવસે ગુરૂ નાનક જ્યંતી મનાવવામાં આવે છે. પ્રકાશ પર્વના દિવસે ગુરૂ નાનક દેવ દ્વારા આપવામાં આવતા ઉપદેશ વિષે જણાવવામાં આવે છે અને ગુરૂ ગ્રંથ સાહિબ પાઠ કરવામાં આવે છે. ગુરૂનાનકના ઉપદેશો આજે પણ સાચા માર્ગે ચાલતા લોકો માટે માર્ગદર્શન બની રહે છે. તેમના અનુયાયીઓ તેમને નાનક અને નાનક દેવ, બાબા નાનક અને નાનક શાહજી જેવા નામથી સંબોધિત કરે છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓને કારણે તેઓ ૭-૮ વર્ષની ઉંમરમાં જ ઘણાં પ્રસિદ્ધ થઇ ગયા હતા. જાણો ગુરૂનાનકના કેટલાક ઉપદેશો વિષે.. ૧. પરમ – પિતા પરમેશ્વર એક છે. ૨. હંમેશા એક ઇશ્વરની સાધનામાં મન લગાઓ. ૩. વિશ્વની દરેક જગ્યાઓએ અને દરેક પ્રાણીમાં ઇશ્વર ઉપસ્થિત છે. ૪. ઇશ્વરની ભક્તિમાં લીન લોકોને કોઇનો ભય સતાવતો નથી. પ. પ્રમાણિકતા અને મહેનતથી પેટ ભરવું જાેઇએ. ૬. ખરાબ કાર્ય કરવા વિષે ન વિચારો અને કોઇને પરેશાન ન કરવા જાેઇએ. ૭. હંમેશા ખુશ રહેવું જાેઇએ, ઇશ્વર પાસેથી હંમેશા પોતાના માટે ક્ષમા યાચના કરો. ૮. મહેનત અને પ્રમાણિકતાની કમાણીમાંથી જરૂરતમંદની મદદ કરો. ૯. તમામને સમાન દ્રષ્ટિકોણથી જુઓ, સ્ત્રી-પુરૂષ સમાન છે. ૧૦. ભોજન શરીરને જીવિત રાખવા માટે આવશ્યક છે. પરંતુ લોભ-લાલચ માટે સંગ્રહ કરવાની આદત ખરાબ છે.
– શાસ્ત્રી રાજદીપ જાેશી

error: Content is protected !!