સસ્તા અનાજના વેપારીઓ દ્વારા હડતાલનો પ્રારંભ : પ્રશ્નો ઉકેલવા માંગ

0

ગુજરાત રાજ્યના સસ્તા અનાજના વેપારી ભાઈઓ નજીવા કમિશનથી દુકાન તથા પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા રહ્યા છે ત્યારે રાજ્યના ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ અને ઓલ ગુજરાત એફ પી એસ એસોસિએશન આ બંને એસોસિયેશન સાથે મળીને અસહકારની લડત ચલાવેલી હતી રાજ્યના દુકાનદાર ભાઈઓ પોષણક્ષમ બને એ માટે દરેક દુકાનદારભાઈ કે જેઓને ૨૦ હજાર રૂપિયાથી ઓછું કમિશન થાય છે આવા વેપારી ભાઈઓને મિનિમમ રૂા.૨૦,૦૦૦ કમિશન મળે એ માટે સરકાર સાથે ગત પહેલી ઓગસ્ટથી આ ચળવળનું મંડાણ કર્યું હતું અને બીજી સપ્ટેમ્બર સુધી લગભગ ૫૦ ટકા જેટલું પરિણામ પણ મેળવ્યું હતું. કોઈ કારણોસર કે ગમેતેના કારણે વેપારીભાઈઓની માંગણી સંતોષતી વખતે ૩૦૦ રેશનકાર્ડની મર્યાદા મુકીને સરકાર દ્વારા વેપારીભાઈઓ સાથે ભયંકર છલ કરવાં આવ્યું હતું. જેના કારણે મિનિમમ વીસ હજાર રૂપિયા કમીશન મેળવવા માટે વેપારીભાઈઓનો એક મોટા વર્ગ વંચીત રહી ગયો હતો. ત્યારે બંને એસોસીએશનના આગેવાનો દ્વારા નિયામક સચિવ પુરવઠા પ્રધાન તથા મુખ્યમંત્રી સુધી આ વાત લઈ જઈને સરકારને વેપારીભાઈઓ સાથે થયેલા છલથી વાકેફ કરવામાં આવી હતી તથા જાે વેપારીભાઈઓને પોતાનો હક્ક નહી મળે તો ફરીથી અસહકારની લડત ચલાવવામા આવશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સરકાર લગભગ દશેરા સુધીમાં કોઈ ર્નિણય લઈ લેશે એવા આશ્વાસન સાથે બંને એસોસિએશન તથા એસોસિએશનના આગેવાનો અને મોટાભાગના વેપારી ભાઈઓ રાહ જાેતા રહ્યા હતા પરંતુ સરકાર તરફથી કોઈ સળવળાટ જાણવા મળેલ ન હોય બંને એસોસિએશનના આગેવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસની મથામણ બાદ અસહકાર પાર્ટ ટુ આંદોલન ચાલુ કરવાનો નક્કી કરવામાં આવ્યો છે. મિનિમમ વિસ હજાર કમીશન સસ્તા અનાજના દુકાનદારો માટે એક મોટી અને ભવ્ય જીત હતી આ જીત માટે ગુજરાતના દરેક દુકાનદાર ભાઈઓએ આ લડતમાં ખુબજ ઉત્સાહ પુર્વક પૂરી નિષ્ઠાથી ભાગ લીધો હતો અને જીત પણ મેળવી હતી પંરતુ કોઈ અકળ કારણોસર આપણી માંગણીમા છેદ કરીને આપણી માંગણીને અડધી કરીને બે ભાગમાં વહેંચી નાખવામાં આવી હતી. ત્યારથી જ આગેવાન ભાઈઓએ આ પ્રકારનું કપટ સાંખી ન લેવાનો મનસૂબો સરકાર તરફ વ્યક્ત કર્યો હતો. જેના અનુસંધાને સરકાર તરફથી કોઈ ર્નિણય ન લેવાતા ફરીથી અસહકારની લડત ચલાવવાનો ર્નિણય બંને એસોસીએશનના પ્રમુખઓ પ્રહલાદભાઈ મોદી તથા મહિપતસિંહ ગોહિલ દ્વારા લેવામાં આવ્યો છે. જે વેપારીભાઈઓને મિનિમમ વિસ હજાર રૂપિયા કમીશન મળવાપાત્ર છે છતા તેવો વંચીત રહ્યા છે એ માટે પહેલી નવેમ્બર ૨૦૨૩થી ગુજરાતભરના વેપારીભાઈઓ પરમીટ તથા ચલણ જનરેટર નહી કરે જથ્થો નહી ઊતારે વિતરણ નહી કરીને સરકાર તરફ અસહકારની લડતના મંડાણ કર્યો છે. સાતમ આઠમ બાદ ફરીથી આવનારા દિવાળીના તહેવારોમા પણ હોળી જેવો ઘાટ સર્જાશે તો તેની પુરેપુરી જવાબદારી સરકારનીની રહેશે. બંને એસોસીએશનના આગેવાનો દ્વારા ર્નિણય આ લેવામાં આવ્યો છે ચાલો સાથે મળીને સરકાર તરફથી કરવામાં આવેલ અન્યાય સામે અવાજ ઉઠાવીએ સૌ દુકાનદારોના સહકારની અપેક્ષા સહ.

error: Content is protected !!