જૂનાગઢના ઋષીરાજ આશ્રમે અયોધ્યા અવસરની ઉજવણી

0

જૂનાગઢ ગિરનારના પરિક્રમા અને મહાશિવરાત્રીના મુખ્ય પ્રવેશદ્વારની નજીક ભરડાવાવ ખાતે આવેલ શ્રી ઋષીરાજ આશ્રમ ખાતે મહંત પુ.બલરામદાસ બાપુ તથા તેમના શિષ્યા પુ. મહેશ્વરી દેવીજી દ્વારા અયોધ્યા અવસરની ઉજવણીના ભાગરૂપે આશ્રમ ખાતે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મહાઆરતી તેમજ ભકિતભાવ સ્વરૂપ ભારતનાટયમ આયુષી જે. ટાંક દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ અને આશ્રમ ખાતે શ્રી રામ લક્ષ્મણ જાનકીને રંગોળી પણ કરવામાં આવેલ આ અવસરે મેયર ગીતાબેન પરમાર, મહાદેવગીરી બાપુ, નાગભાઈ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!