મહાશિવરાત્રિ ઉત્સવ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર અને શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન

0

 

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા.૮-૩-૨૦૨૩ને શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી પૂજારીસ્વામી દ્વારા કરવામાં આવેલ મંદિરના પરિસર મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાંર આવેલ. શ્રી નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં રાત્રે ૧૦થી ૧૨ કલાક દરમ્યાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર દાસજી(અથાણાવાળા) દ્વારા મંદિર પરિસરમાં આવેલાં નિલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીએ જણાવ્યું કે, આજે મહાશિવરાત્રીનું પર્વ છે. ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને વિશેષ વાઘા ધરાવી અને સિંહાસને શણગાર કરવામાં આવ્યો છે. અહીં મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. સર્વે ભક્તો સુખી થાય એવી ભગવાન મહાદેવને અભિષેક કરીને પ્રાર્થના કરી છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને ભક્તોએ ધન્યતા અનૂભવી હતી.

 

error: Content is protected !!