શિવરાત્રી મેળો કરવા આવેલા ભાવિકનો રૂા.૧,૩૦,૦૦૦ના મોબાઈલની ચોરી

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાયેલા શિવરાત્રીનો મેળો કરવા આવેલા એક ભાવિકના મોબાઈલની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જામનગર ખાતે રહેતા દિનેશભાઈ કેશવજીભાઈ ભેસદડીયા પટેલ(ઉ.વ.૪પ)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી ભવનાથ શિવરાત્રીનો મેળો કરવા માટે આવેલ ત્યારે ભવનાથ રામટેકરી પાસે રીક્ષા બદલતા ત્યાંથી પોતાના ખિસ્સા ફરિયાદીની નજર ચુકવી કોઈ અજાણ્યો માણસ પોતાનો મોબાઈલ ફોન સેમસંગ ગેલેક્ષી એસ-ર૪ અલ્ટ્રા કાળા કલરનો જેની કિ.રૂા.૧,૩૦,૦૦૦નો કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!