બુધવારે જૂનાગઢમાં શાંતાબેન દવેની પુણ્યતિથી નિમિતે શિવપુજા રૂદ્રાભિષેક મહાપ્રસાદનું પુ. નિલકંઠાનંદજી બાપુના સાનિધ્યમાં આયોજન

0

જૂનાગઢ ભવનાથ દામોદર કુંડની બાજુમાં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા.રરને બુધવારના રોજ સ્વ. શાંતાબેન કરશનભાઈ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે મંદિરના મહંત પુ. નિલકંઠનંદજી ગુરૂશ્રી માધાવાનંદજીના સાનિધ્યમાં વિવિધ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે ૯ઃ૩૦ થી ૧૧ઃ૩૦ શિવપુજા રૂદ્રાભિષેક અને બપોરે ૧ર કલાકે મહાપ્રસાદનું આયોજનકરેલ છે. તો આ નિમિતે આમંત્રીતોને ઉપસ્થિત રહેવા જગદિશભાઈ કરશનભાઈ દવે, નટવરભાઈ અને માર્કન્ડભાઈ જે. દવેએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!