દ્વારકામાં ફૂડ પોઈઝનિંગ બાદ સ્વસ્થ થયેલા આસામના લોકોને ટ્રેન મારફતે વતન રવાના કરાયા

0

આસામથી દ્વારકા ખાતે આવેલા આશરે ૪૫ જેટલા યાત્રાળુઓ પૈકી કેટલાકને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેમને સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યાત્રાળુ સંઘમાં બીમાર પડેલા વ્યક્તિઓની તબિયત દુરસ્ત થઈ ગયા બાદ શુક્રવારે આ ગ્રુપના ૨૯ શ્રદ્ધાળુઓને ઓખા ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન મારફતે તેમના વતન ખાતે રવાના કરવામાં આવ્યા હતા. જે માટે તંત્ર તેઓને સહાયભૂત થયું હતું.

error: Content is protected !!