શરદ પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજનદેવને સફેદ ગુલાબના ૨૦૦ કિલોફુલોનો દિવ્ય શણગાર તથા શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન આયોજન

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ ૧૭-૧૦-૨૦૨૪ને ગુરૂવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને સફેદ ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. પૂનમ નિમિત્તે સાંજે ૦૫ઃ૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી ૬ઃ૩૦ કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીદ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે આજે દાદાનેસિલ્કના વાઘા તથા સફેદ હંસની થીમવાળા સફેદ ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને ૨૦૦ કિલો શણગાર કરાયો છે. આ સફેદ વાઘા અમરેલીથી મંગાવ્યા છે. ૬ સંતો, પાર્ષદ અને ભક્તોદ્વારા આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.

error: Content is protected !!