પવિત્ર ધનુર્માસ- શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને હિમવર્ષાની ઝાંખી કરાઈ અને દાદાને ૧૧૦૦ કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

0

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ ૨૮-૧૨-૨૦૨૪ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને શ્રી કષ્ટભંજનદેવ દાદાને હિમવર્ષાની ઝાંખીકરાવવામાં આવી હતી.આજે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી તથા ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સવારે ૯ઃ૦૦ કલાકે શ્રીકષ્ટભંનજનદેવ દાદાને ૧૧૦૦ કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે ઃ ૩ થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

error: Content is protected !!