દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર રોડ પાસે તંત્ર દ્વારા કાચા પાકા મકાનોનું ડીમોલેશ કરાયું

0

તંત્ર ગરીબ માણસોના ઝુપડાઓ હટાવી ઉચ્ચ કક્ષાએ દ્વારકામાં ડીમોલેન કરાયા ની કામગીરી બતાવે છે જ્યારે દ્વારકાથી વરવાળા છ કિલો મિટર સુધીમાં મોટા માથાઓના દબાણો ક્યારે દૂર કરાશે : તંત્રએ બે દિવસ પહેલા ત્યાના રહેવાસીઓને સરકારી જગ્યા પર કરલે દબાણ હટાવવા વોર્નિંગ આપી હતી : દ્વારકામાં ભાજપના નેતાઓ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સરકારી જગ્યામાં દબાણ ખડકી દેધેલ ત્યા ડીમોલેશન ક્યારે ? બસ્ટેન્ડ થી રૂપેણબંદર સુધીમાં અસંખ્ય દબાણો કરનારાઓને નોટીસ આપી તેની મુદત પૂર્ણ થયેલ તેઓના દબાણો હટાવવા તંત્ર કોની લાજ કાઠે છે ?

યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી દ્વારકાના પ્રખ્યાત રૂક્ષ્મણી મંદિર રોડ તરફના જબણી બાજૂના તરફ કાચા ઝુપડાઓ તેમજ પાકા મકાનો પાડવા બુલડોઝર લૈઇ તંત્ર પહોચી ગયેલ હતું. બે દિવસ પહેલાજ દ્વારકા એસડીએમ તેમજ પાલીકા ચિફ ઓફિસર સહિતના અધિકારીઓ ત્યા સરકારી જગ્યા પર દબાણ કરેલ હતા તેઓને સ્વછીક્ત દબાણ હટાવી લેવા બે દિવસની મુદત આપી હતી. મુદત પુરી થતા જ તંત્ર દબાણ હટાવા બે જેસીબી ટ્રેકટરો સહિત પહોચી ગયેલ હતું. અને દબાણ હટાવવાનું શરૂ કરાયું હતું. દ્વારકાના બસસ્ટેન્ડ થી રૂપેણ બંદર સુધીમાં ભુમાફિયાઓએ સરકારી કરોડો રૂપિયાની લાખો ફુટ જગ્યામાં જુદા જુદા વ્યતિઓએ રીક્ષા બાઇકો જેવા શો રૂમો બનાવી દિધા છે. તેમજ હોટલો રેસીડેન્ડ જેવા અનેક વિવિધ પાકા બાંધકામો રોડ ટચ ખડકી દિધેલ હોય તેઓને તંત્ર દ્વારા આજથી અંદાજીત એક માસ પહેલા જ સાત દિવસમાં સ્વછીક્ત દબાણ હટાવી દેવામાં માટેની નોટીસો ફડકારી હતી. તે નોટીસોની મુદત પણ પુરૂ થૈઇ ગયેલ હોય ત્યારે તંત્ર ત્યા કયારે ડીમોલેશન કરાશે તેવા સવાલો ઉભા થયા છે.દ્વારકાથી વરવાળા છ કિલોમીટર સુધી મોટા માથાઓએ દબાણો કરેલ તેઓ તંત્રને દેખાતા નથી ? દ્વારકા શહેરમાં અનેક હોટલો ગેરકાયદેસર હોય ભાજપનાજ હોદેદારોએ અને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સરકારી જગ્યાઓમાં દબાણો કરી દિધા હોય ત્યારે તંત્રને એ કેમ ધ્યાને આવતું નથી તેવું લોકો કહી રહ્યા છે. માત્ર નાના માણસોના દબાણો હટાવી તંત્ર ઉચ્ચ કક્ષાએ દબાણ હટાવ ઝુંબેસ ઉચ્ચ કક્ષાએ કામગીરી બતાવી સંતોષ માણે છે.

error: Content is protected !!