ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા તથા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનાં માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં કાર્યકરો દ્વારા ડો.ભીમરાવ આંબેડકર જયંતી સન્માન અભિયાન અંતર્ગત વોર્ડ નં.૧૦ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફસફાઈ તેમજ રંગોળી કાર્યકર્મ કરવામાં આવેલ હતો. જેમાં પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પલવીબેન ઠાકર, અનુ. જાતિ મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર, બક્ષીપંચ પ્રદેશ મોરચા ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, યોગીભાઈ પઢિયાર, ઇન્ચાર્જ કમલભાઈ ચુડાસમા, સહ ઇન્ચાર્જ અભયભાઈ રીબડીયા, જીતુભાઈ પરમાર, મનુભાઈ મોકરિયા, આ કાર્યક્રમના ઇન્ચાર્જ કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, વિજયભાઈ દાફડા, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસીયા, પરાગભાઈ રાઠોડ, હસમુખભાઈ મકવાણા, મહિલા મોરચાના જયોતીબેન વાડોલિયા, કનકબેન વ્યાસ, યુવા મોરચાના ઉપાધ્યક્ષ રૂષિકેશ મર્થક, પૂર્વ કોર્પોરેટર, વોર્ડ પ્રમુખો, અનુ. જાતિ મોરચાના હોદેદારો મોહનભાઈ પરમાર, દિનેશભાઈ ચુડાસમા, સી.ડી. પરમાર તેમજ આગેવાનઓ મોટી સખ્યામાં મહાનગરનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સાથે સાથે ટીબાવાડી દલિત સમાજમાં મહાનગર પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા, કોર્પોરેટર મુયર ભલાણી, ઈલાબેન બાલસ, મધુબેન મિયાત્રા, અ. જા ઉપપ્રમુખ માધવભાઈ વારસુર તથા દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જૂનાગઢ મહાનગરનાં દરેક વોર્ડમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.