શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશીના વર્કવાળાફૂલની ડીઝાઇનના વાઘાપહેરાવ્યા સાથે૧૦૦ કિલોમોગરા, ૧૦૦ કિલો ગુલાબ તેમજ ૨૫ કિલો ઓર્કિડના ફુલો દિવ્ય શણગાર એવં ૨૧ પ્રકારની ૧૫૧ કિલો મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો

0


સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૧૫-૪-૨૦૨૫ને મંગળવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ દાદાને જરદોશીના વર્કવાળા વાઘા એવં ૧૦૦ કિલોમોગરા, ૧૦૦ કિલો ગુલાબ તેમજ ૨૫ કિલો ઓર્કિડના ફુલોનો દિવ્ય શણગાર અને૨૧ પ્રકારની ૧૫૧ કિલો મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને સવારે ૭:૦૦ કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે વૃન્દાવનમા તૈયાર કરાયેલા હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશીવર્કવાળા ફૂલની ડીઝાઇનના વાઘા પહેરાવ્યા છે. આ સાથે કાજુકતરી,પેંડા, બુંદી-મોતીચૂરના લાડવા,બરફી, વિગેરે મળીને ૨૧ પ્રકારની ૧૫૧ કિલો મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો છે. મંદિરના પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

error: Content is protected !!