માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા આયોજીત બીજી વખત તા.૧૩-૪-૨૦૨૫ને રવિવારનાં રોજ આઝાદ ચોક-જૂનાગઢ ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેનાં કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. આ કુંડા વિતરણમાં તમામ નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ સેવાકીય કાર્યમાં મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢનાં મહિલા પી.એસ.આઈ વરીયા અને સામાજીક આગેવાનોમાં તન્વીબેન વૈષ્નવ, નાથાભાઈ રાડા, અરવિંદભાઈ મારડીયા, હરસુખભાઈ પાલા, રમણીકભાઈ ચલ્લા, જયશ્રીબેન ગાલોરીયા, પ્રવિણાબેન વાઘેલા, તરૂબેન ગઢીયા, રમીલાબેન ઘુચલા, દેવીબેન દવે, રેખાબેન સ્વાદીયા, ઈન્દુબેન ખાણદર, હસ્તીબેન ઉનડકટ, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ સહભાગી થયાં હતા. આ સેવાકીય કાર્યમાં તમામ ઉપસ્થિત મહેમાનોએ સંસ્થાની કામગીરી બિરદાવી હતી. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલાએ ભારે જહેમત ઉઠાવી હતી.