માંગરોળનાં પૌરાણિક મંદિરો તથા ઐતિહાસીક વાવોનું પવિત્ર જળ અને માટી અયોધ્યા મોકલાઈ

0


માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મંદિરોની પવિત્ર જળ અને માટી એકત્રણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માંગરોળની અતિ પૌરાણીક જે નરસી મહેતાના ઈતિહાસ સાથે સંકળાયેલ ગોમતી વાવનું પવિત્ર જળ મુકેશગીરી બાપુ ગોસ્વામીએ શાસ્ત્રોક્ત વિધી સાથે અર્પણ કરેલ તથા જે ઇતિહાસીક સ્વામીનારાયણ મંદિરનાં વાવનું જળ અને માટી પૂજ્ય સ્વામી પૂર્ણ પ્રકાશદાસજીએ ધાર્મિક વિધી સાથે અર્પણ કરેલ અને કામનાથ મહાદેવ મંદિરેથી પવિત્ર જળ અને માટી કામનાથ મંદિરના મહંતક ઈશ્વરગીરી બાપુ દ્વારા પુજા અર્ચના કરી વિહિપ બજરંગ દળનાં હોદ્દેદારોને અર્પણ આપવામાં આવ્યું હતું. મંદિરોના સંતો મહંતો દ્વારા આશીર્વાદ સાથે અયોધ્યામાં વહેલી તકે ભવ્યથી ભવ્ય મંદિર બને અને ભગવાન શ્રીરામ બિરાજમાન થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઇ લાલવાણી, પંકજભાઇ રાજપરા, તરૂણગીરી બાપુ, અમિશભાઈ પરમાર, હિતેશ અગ્રવાલ, કમલેશજી, હરીશભાઈ રૂપારેલીયા તથા કાર્યકરો જોડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!