અમને દેશના કોરોના યોદ્ધાઓ ઉપર ગર્વ છે : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

0

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે બેંગલુરૂના રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના ૨૩માં વાર્ષિક દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. તેમણે મેઘાવી વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરી હતી. આ અવસરે કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે અમને અમારા ડોક્ટરો અને ચિકિત્સા સહાયકો ઉપર ગર્વ છે. કોરોના યોદ્ધાઓએ પોતાનું જીવન જાેખમમાં નાખીને કોરોના વાયરસ સંક્રમણ જેવા અઘરા પડકારોનો સામનો કર્યો છે મને એ જાણીને ખુશી થઈ છે કે રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીએ ડોક્ટર, નર્સ અને વહીવટી તંત્ર સહિત ૨ લાખ સ્વાસ્થ્ય વ્યવસાયિકોને પ્રશિક્ષિત કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!