કૃષિ કાયદાઓ અંગે જે લોકોએ યુ-ટર્ન લીધો તેમના માટે, જે મનમોહનસિંહે કહ્યું તે મેં કર્યું : વડાપ્રધાન મોદી

0

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે રાજકીય પાર્ટીઓએ નવા કૃષિ કાયદાઓ વિષે યુટર્ન લીધો હતો તેમણે ગર્વ કરવો જાેઈએ કે, ભાજપની આગેવાનીવાળી સરકારે તેમણે નકારેલા કાયદાઓને લાગું કર્યા. પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની વાતને યાદ કરતાં કહ્યું કે, તેઓએ ખેતી સાથે જાેડાયેલા એક બજારની વકાલત કરી હતી. મોદીએ કહ્યું કે, મજા એ છે જે લોકો પોલિટિકલ નિવેદનબાજી કરે છે ઉછળી-ઉછળીને, તેમની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં થોડું ઘણું તો કર્યું જ છે. કોઇએ કાયદાની મંશા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો નથી. ફરિયાદ એ છે કે રીત ઠીક નહોતી. જલ્દી કરી દીધું, આવું તો રહે છે. આ તો પરિવારમાં લગ્ન થાય તો ફોઈ નારાજ થઈને કહે છે, મને કેમ ના બોલાવી, આવું તો રહે છે, આટલો મોટો પરિવાર છે તો આવું તો રહે જ છે. તેમણે કહ્યું કે, જાે તમે મોદીની સાથે ના હોવ તો મનમોહન સાથે તો રહો. મનમોહનસિંહે જે એક માર્કેટની તરફેણ કરી હતી તેને અમે લાગું કરી છે તો તમારે બધાએ ગર્વ કરવાની જરૂર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!