બિલખા તાબાના ચોરવાડી ગામની પરીણીત મહીલા ઘરેથી કહ્યા વગર ચાલી જતા પરિવાર પરેશાન

0

બિલખા પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરાઈ

બિલખા તાબાના ચોરવાડી ગામે રહેતા અશ્વિનભાઈ વજુભાઈ કોટડીયા(ઉ.વ.૪પ)ના ધર્મપત્ની નયનાબેન અશ્વિનભાઈ કોટડીયા(ઉ.વ.૪૦) ઘરેથી કોઈને પણ કીધા વગર ઘરેથી જતા રહ્યાનું જાણવા મળેલ છે. ઉપરોકત બનાવની વિગત એવી છે કે, તા.ર૦-પના રોજ સવારે ૭ઃ૩૦ વાગ્યે નયનાબેન ઘરેથી વાડીએ તેમના પતી અશ્વિનભાઈને ભાતુ દેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેઓ વાડીએ પહોંચ્યા ન હતા. આથી અશ્વિનભાઈએ ઘરે ફોન કરતા તેમના માતુશ્રી લાભુબેને જણાવ્યું હતું કે, નયનાબેન તો સવારના ભાત લઈને ઘરેથી નીકળી ગયા છે. આથી અશ્વિનભાઈએ તેમના ધર્મપત્નીની શોધખોળ શરૂ કરેલ હતી પરંતુ કોઈ જાતની ભાળ ન મળતા તેમણે આ અંગેની જાણ બિલખા પોલીસને કરેલ હતી જેની વધુ તપાસ બિલખા પોલીસે હાથ ધરેલ છે. અશ્વિનભાઈ અને નયનાબેનને સંતાનમાં બે દિકરા છે. હીત ધોરણ છમાં અભ્યાસ કરે છે અને યશ ધોરણ ચારમાં અભ્યાસ કરેલ છે. હાલ તો નયનાબેન ઘરેથી લાપતા થતા પરિવાર માથે જાણે આભ તુટી પડયું છે. પરિવાર તેમજ આસપાસમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે આ પરિવારમાં કોઈ જાતનો કંકાસ પણ જાેવા નથી મળ્યો ત્યારે બનેલ આ બનાવ કોઈના માનવમાં આવતો નથી. નયનાબેને લાલ કલરનો ડ્રેસ અને સફેદ ચુનરી ઓઢેલ છે. જાે કોઈની જાણમાં આવે તો અશ્વિનભાઈ કોટડીયા મો.નં.૯પ૩૭૧ ૬પ૯૧૭ ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવેલ છે.

error: Content is protected !!