શ્રીલંકાથી આવેલા ચાર આતંકવાદીઓનાં ટાર્ગેટ પર ગુજરાત: આત્મઘાતી હુમલો કરવાના હતા

0

આતંકવાદીઓની યોજના હિન્દુ નેતાઓ અને યહુદી લોકો પર હુમલો કરવાની હતી: તપાસમાં અનેક ઘટસ્ફોટ

અમદાવાદ-એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે તેઓનાં નિશાને હિન્દુ તથા યહુદી નેતાઓ હોવાનો ખુલાસો થયો છે. ૧૪ દિવસનાં રીમાંડ પર સોંપાયેલા ચારેય ત્રાસવાદીઓની પૂછપરછમાં વધુ કેટલાંક ચોંકાવનારા ધડાકા થવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કેટલાંક વખતથી કરોડો અબજાે રૂપિયાનું ડ્રગ્સ પકડાવાનો સિલસિલો હતો.ડ્રગ્સ માફીયાઓ પછી ત્રાસવાદી સંગઠનોનું ટારગેટ ગુજરાત હોવાની છાપ ઉપસતા સરકાર તથા સુરક્ષા એજન્સીઓ પણ ખળભળી ઉઠી છે.
ગુપ્તચર બાતમીના આધારે શ્રીલંકાથી વાયા ચેન્નાઈ થઈને વિમાન માર્ગે અમદાવાદ આવેલા ચારેય ત્રાસવાદીઓની ઓળખ મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરામ, મોહમ્મદ ફરીસ તથા મોહમ્મદ રસધીન તરીકે થઈ છે. ચારેય શ્રીલંકાનાં નાગરીકો હોવાનું અને ખતરનાક ત્રાસવાદી સંગઠન આઈએસઆઈ ઈસ્લામીક સ્ટેટનાં સંપર્કમાં હોવાનો ધડાકો થયો છે.


પોલીસના સુત્રોએ કહ્યું કે, ચારેય ત્રાસવાદી પાકિસ્તાન સ્થિત આઈએસઆઈના ઓપરેટીવ અબુના સંપર્કમાં હતા. ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરવાનો ટારગેટ આપવામાં આવ્યો હતો. યહુદીઓના કેટલાંક મહત્વનાં સ્થળોને નિશાન બનાવવાનું તથા ભાજપ-સંઘ સાથે સંકળાયેલા હિન્દુ નેતાઓ અને યહુદીઓની હત્યા કરવાનું પણ કામ સોંપવામાં આવ્યું હતું.
ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ૧૫ દિવસ પહેલા એક માહિતી મળી હતી કે ચાર આતંકીઓ ગુજરાતમાં પ્રવશે કરવાના છે. જેના પગલે છેલ્લા પંદર દિવસથી એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાર વોચ રાખવામાં આવી હતી.
આ ચાર આતંકીઓ ની ઓળખ કરવા માટે ગુજરાત એટીએસએ હજારોની સંખ્ય માં હવાઈ અને ત્રણમાં મુસાફરી કરતા મુસાફરોની યાદી તૈયાર કરી હતી.
જેમાં શંકાના દાયરામાં ઈન્ડિગો ફ્લાઇટના ચાર મુસાફરો આવ્યા હતા. જેના નામ હતા નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમ હતા. ગુજરાત એટીએસે ૧૯મીને રાત્રે ૮ વાગે અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટ આવે એ પહેલા જ કોર્ડન કરીને નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમને પકડી પડ્યા હતા.


આ ચાર આતંકીઓ અંગ્રેજી કે હિન્દી ભાષા ના જાણતા હતા અને માત્ર તામિલ ભાષા જ જાણતા હોવાથી અમદાવાદના દુભાષિયા મારફતે પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.
આ ચારેય આતંકી ૈંજીૈંજી ના આતંકીઓ છે જે ગુજરાત અને ભારતમાં યહૂદી, ખ્રિસ્તી , ઇજીજી અને મ્ત્નઁ ના લોકો પર હુમલો કે આત્મઘાતી હુમલો કરવાના હતા. જેના માટેની તમામ તૈયારીઓ આ આતંકીઓ કરી નાખી હતી.
આતંકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, હેન્ડલર અબુ બકર બગદાદીના ગત ફેબ્રુઆરી માસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને આતંકી સંગઠનમાં જાેડયા હતા.હેન્ડલર અબુ બકર બગદાદી મૂળ શ્રીલંકાનો છે અને હાલ પાકિસ્તાનમાં વસવાટ કરે છે.

 

error: Content is protected !!