જૂનાગઢના ગિરનારી ગ્રુપની અનેરી સેવા

0

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વર્તમાન સ્થિતિમાં ખૂબ જ ગરમીના કારણે પશુ, પંખીઓ સહિત લોકોને પારાવાહિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે જૂનાગઢ શહેર તથા આજુબાજુના નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો જૂનાગઢની સ્મશાન ભૂમિમાં પોતાના સ્વજનોની અંતિમ વિધિ કરવા આવતા હોય છે. ત્યારે ગિરનાર દરવાજા પાસે આવેલ અંતિમ વિશામામાં ડાઘુઓને પ્રદક્ષિણા ફરવામાં આ કાળજાળ ગરમીનો સામનો કરવો પડતો જાેવા મળતો હોય એવું જાણવા મળેલ હતું. જેને ધ્યાનમાં લઈને ગિરનારી ગ્રુપના સભ્યો દ્વારા સ્મશાનયાત્રામાં આવતા સ્વ.ના નજીકના સ્વજનો ઉઘાડા પગે પ્રદક્ષિણા ફરતા હોય છે. ત્યારે એવા ડાઘુઓને પ્રદક્ષિણા ફરવામાં રાહત મળે એ હેતુથી આ અંતિમ વિશામાને ફરતે ગ્રીનનેટ પાથરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં ગિરનારી ગ્રુપના સભ્યઓ દિનેશભાઈ રામાણી, પરેશભાઈ સાવલિયા, સમીરભાઈ ઉનડકટ, બીપીનભાઈ ઠકરાર, અશોકભાઈ ચાંડેગરા સહિતના લોકોએ પોતાની સેવા આપેલ હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!