માણાવદરમાં રકતદાન કેમ્પ યોજાયો ઃ ૧૧૯ બોટલ રકત એકઠું કરાયું

0

માણાવદરમાં સ્વ. સુકાભાઈ રામભાઈ આંત્રોલીયાની તૃતિય વાર્ષિક પૂણ્યતિથી નિમીતે ઉદ્યોગપતિ બચુભાઈ આંત્રોલીયા તથા પરિવાર દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેનું ઉદઘાટન ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તથા બચુભાઈ આંત્રોલીયા સહિતનાઓએ દિપ પ્રગટાવી કરાયું હતું. જેમાં પોરબંદરની આશા બ્લડ બેંક એન્ડ કોમ્પોનેન્ટ સેન્ટર દ્વારા પરિક્ષણ તથા રકતદાન એકઠું કરવાની કાર્યવાહી કરી હતી. રકતદાન કેમ્પમાં ૧૧૯ બોટલ રકત એકઠું કરાયું હતું.

error: Content is protected !!