રવિવારે ભવનાથના કાશ્મીરી બાપુ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા ઉજવાશે

0

જૂનાગઢના ભવનાથ આવેલા આમકુ દાતારેશ્વર મહાદેવ(કાશ્મીરી બાપુ આશ્રમ)માં રવિવારે ગુરૂપૂર્ણિમાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આમાં સવારે ગુરૂ સમાધી પૂજન, બપોરે ભોજન અને રાત્રિના સંતવાણીના કાર્યક્રમો યોજાશે. આ અંગે ભવનાથ સ્થિત આમકુ ખાતે દાતારેશ્વર મહાદેવ આશ્રમના મહંત ૧૦૦૮ નર્મદાપુરી માતાજીએ જણાવ્યું હતું કે, ૨૧ જૂલાઈ- રવિવારે દાતારેશ્વર મહાદેવ આશ્રમમાં ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીમાં સવારે અમારા બ્રહ્મલીન ગુરૂ કાશ્મીરી બાપુની સમાધીનું પૂજન કરવામાં આવશે. બાદમાં બપોરના ભાવિકો માટે ભોજન – પ્રસાદનું આયોજન કરાયું છે. સંતવાણી – ભજન સંધ્યાનો કાર્યક્રમ રજૂ થશે વગેરે ભજન, સંતવાણી ત્યારે ગુરૂપૂર્ણિમાની ઉજવણીના પાવન પ્રસંગે ગુરૂજીની સમાધીનું પૂજન, ભોજન-પ્રસાદ અને સંતવાણી ભાવિકોને ભજન, ભોજન અને ભક્તિનો લાભ લેવા દ્વારા મંહત શ્રી ૧૦૦૮ શ્રી નર્મદાપુરી માતાજી ગુરૂ શ્રી કાશ્મીરી બાપુ દ્વારા તથા સેવકગણ દ્રારા હાદિક નિમંત્રણ પાઠવામાં આવે છે.

error: Content is protected !!