સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો પડઘો : રદ થયેલ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરાઈ

0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો પડઘો

રદ થયેલ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરાઈ

જૂનાગઢ તા. ૧૧
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકમાં સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેનને રદ કરવાની સત્તાવાળાઓ દ્વારા મેગા બ્લોકને કારણે જાહેરાત કરવામાં આવતાં જૂનાગઢનાં જાગૃત અગ્રણી અમૃતભાઈ દેશાઈએ ગઈકાલે આ ટ્રેન શિવરાત્રીનાં મેળા સબબ લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ટ્રેન શરૂ કરવા માંગણી કરી હતી. જેને ધ્યાને લઈ રેલ્વે સત્તાવાળાઓ દ્વારા રદ કરાયેલી અમદાવાદ-સોમનાથ ઈન્ટરસીટી ટ્રેનને સોમનાથથી રાજકોટ સુધી દોડાવવાની જાહેરાત કરી છે.

error: Content is protected !!