ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોને આવશ્યક ચીજાનું વિતરણ કરાયું

0

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાનાં લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી મોટા ભાગના મજૂરો પરત જે ગામમાં કામ કરતાં હતાં, ત્યાં વાડી માલિકને સોંપી, ગામડાઓમાં મોકલવામાં આવેલ છે. જ્યારે અમુક મજૂરો શહેર વિસ્તારમાં તથા સરકારી જમીનમાં ઝૂંપડાઓ બાંધીને રહેતા હતા અને જે જે લોકો કામે રાખે ત્યાં છૂટક મજૂરી કરીને રહેતા હતા, તેવા મજૂરોને રાખવા માટે સરકાર દ્વારા જુદા જુદા શહેરમાં જુદી જુદી જગ્યાએ સેલ્ટર હોમ બનાવી મજૂરોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જે પૈકી ૭૫ જેટલા મજૂરો ભવનાથ ખાતે ખોડીયાર રાસ મંડળ ખાતેની જગ્યામાં રાખવામાં આવેલ છે. જે ૭૫ મજૂરની જમવાની વ્યવસ્થા ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ દ્વારા કરવામાં આવેલ છે. તમામ મજૂરોને ભવનાથ ખાતે વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા અવારનવાર વિઝીટ કરી, વ્યવસ્થાની ચકાસણી પણ કરવામાં આવે છે. હાલમાં લોક ડાઉન તા. ૦૩.૦૫.૨૦૨૦ સુધી વધારવામાં આવેલ હોઈ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા જૂનાગઢના એસ.ડી.એમ. જે.એમ.રાવલ, ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર જયસુખ લેખિયા, મામલતદાર ચાવડા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. યુસુફભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ તમામ મજૂરોના જીવન જરૂરિયાત કોલગેટ તથા ગરમીમાં સ્વાસ્થ્ય જળવાઈ તે માટે રાધેશ્યામ રામરોટી પરિવારના સૌજન્યથી ગ્લુકોઝના પેકેટનું વિતરણ મહંત શેરનાથબાપુના હાથે કરવામાં આવેલ હતુ. જૂનાગઢ પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોને આવશ્યક ચીજોનું વિતરણ કરતા, કપરા સમયમાં મદદ કરવા બદલ સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરો દ્વારા જૂનાગઢ પોલીસ તથા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. લોક ડાઉન હાલમાં લંબાવેલ હોઈ, તમામ મજૂરોએ પોતાની વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવેલ સગવડ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવેલ હતો. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

error: Content is protected !!