માંગરોળથી યુપી જવા નીકળેલા મજુરોને જૂનાગઢ પોલીસ બની સહાયરૂપ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા લોક ડાઉન દરમ્યાન લોકોને મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ને તેઓની ડીવાયએસપી કચેરી ખાતે ૧૪ જેટલા મજૂરો આવેલ જેમાં બે મજૂરો રામજીત યાદવ અને વિનોદ કુમાર (મો.નં. ૦૯૬૯૬૯૧૬૬૯૮) એ રજૂઆત કરેલ કે, તેઓ બધા યુપી રાજ્યના બાંગા જિલ્લાના રગૌલી ગામના વતની છે અને માંગરોળ ખાતે દરિયામાં બોટમાં માચ્છીમારીની મજૂરી કરે છે તેમજ બપોરે એક વાગ્યે યુપીની ટ્રેઈન છે. અમે સવારે પહોંચી ના શકીએ એટલે સવારે નીકળી વહેલા આવેલા છીએ અને રેલવે સ્ટેશન ગયા હતા પરંતુ અમો ત્યાં રાતવાસો કરી નહિ શકીએ એવું જણાવી, રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી પણ બહાર કાઢી, અન્ય જગ્યાએ જવા રવાના કર્યા હતા. વધુમાં સવારના નીકળ્યા હોય અમો તમામ ભૂખ્યા છીએ તેમજ અમારે એક રાત રોકાવા માટે વ્યવસ્થા થાય એવી મદદ કરવા વિનંતી કરવામાં આવી હતી. મજૂરોની વાત સાંભળી હાલના લોકડાઉનના સમયમાં જૂનાગઢ પોલીસ પરિસ્થિતિ પામી ગયેલ અને જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા મંગરોળથી આવેલ મજૂરો માટે જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરના ઋષિ સ્વામી તથા જે.પી.સ્વામીનો સંપર્ક કરી તેઓને રહેવા માટે તથા જમવા માટે વ્યવસ્થા કરી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા પોલીસ વાનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જોગાનુજોગ યુપી ની ટ્રેન રદ થતા, મજૂરોને યુપી જવાની ટ્રેન નક્કી થાય ત્યાં સુધી જૂનાગઢ એસડીએમ જે.એમ.રાવલ, મામલતદાર એચ.વી.ચૌહાણ, નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી, અનિલભાઈ, સહિતની ટીમ દ્વારા તમામ મજૂરોને સ્વામિનારાયણ મંદિરમાં જ આશરો આપવામાં આવેલ છે. આમ, માંગરોળ ખાતેથી યુપી જવા માટે જૂનાગઢ આવેલા અને જરૂરિયાતમંદ મજૂરોને જૂનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા આશરો આપવા વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

error: Content is protected !!