કોરોના બે ડગલાં આગળ જૂનાગઢ બે વર્ષ પાછળ !

0

જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી એટલે કે ગત સોમવારથી બજારોમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયું છે. હજુ જોઈએ તેવી રોનક વેપારીઓના ચહેરા ઉપર જોવા મળતી નથી. લોકો ઉદાસ નિસ્તેજ અને ચહેરા ઉપર છુપો ભય છવાયેલો દેખાય છે. જૂનાગઢમાં છેલ્લા ૫૦ દિવસથી તમામ વેપાર ધંધા બંધ રહેતા લાખોનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. તેના કારણે એક અંદાજ મુજબ જૂનાગઢ બે વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે. તે ઉપરાંત જૂનાગઢ શહેરની ગાડી પૂરપાટ ઝડપે દોડતા હજુ ૩થી ૪ વર્ષનો સમય લાગશે. દિવાળી પછી મંદીમાં વધારો જોવા મળશે. કોરાનાએ દેશની અર્થ વ્યવસ્થા વેરવિખેર કરી નાખતા ભારત દેશને સરભર કરતા ૬ વર્ષનો, સમય લાગી શકે છે, કોરોનાના કારણે સૌથી વધુ નુકશાન સોની બજાર, કાપડ બજારો વધારે ગયું છે.  જયારે જૂનાગઢમાં છેલ્લા ૫૦ દિવસમાં લાખોનું વ્યવહાર ઠપ્પ થયો છે. પાન ફાકી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર, ઓટોમોબાઈલ પાર્ટસ, ઘડીયાળ, ઈલેકટ્રોનીક આઈટમોને બજારોની હાલત અતિ ખરાબ હોવાનું પણ જણાવ્યું હતું.
સોનીબજારનો લગ્નગાળો ‘પિકઅપ’ સમય હતો એટલે આંકડો વધુ આવ્યો છેલ્લા બે મહિનાથી જૂનાગઢમાં સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે આ બે માસના સોનીબજારનો ‘પીકઅપ’ ટાઈમ હતો. લગ્ન સીઝનમાં સોનાની ખરીદી વધુ થતી હોય છે. આ સમયગાળા દરમ્યાન અંદાજે જૂનાગઢમાં લાખોનો કારોબાર ઠપ્પ થયો છે. ડોક્ટર, સી.એ. અને એડવોકેટને વધુ નુકસાન જૂનાગઢમાં ક્લિનિક, સીએ અને એડવોકેટનો બે મહિનાથી ધંધો બંધ રહેતા અને એક અંદાજ મુજબ ૫૦ દિવસમાં ર કરોડથી વધુનું નુકશાન થયું છે. અનેક લોકોએ ઓનલાઈન કામ કર્યું હોવાથી રૂપિયા ર કરોડથી વધુ નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. કરિયાણા-દૂધ-અનાજમાં ૫૦ દિવસમાં તેજી આવી જૂનાગઢ શહેરમાં બે મહિના રહેલ લોકડાઉનમાં અનાજ-કરિયાણા અને દૂધના ધંધામાં તેજી આવી હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ શહેરની બજારમાં માલ ખાલી થઈ જવાની બીકે લોકોએ ત્રણથી ચાર મહિનાનું કરિયાણું અને અનાજનો સ્ટોક કરી લીધો હોવાના કારણે આ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ લોકડાઉન નહીં ખૂલે ત્યાં સુધી માહોલ ખરાબ રહેશે જૂનાગઢ શહેરમાં હજુ ૩૧મી મે સુધીનું લોકડાઉન છે. કોરોનાની મહામારીને લીધે બે મહિનાથી લોકડાઉનને લીધે બજારો તેમજ ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ ઠપ થઇ ગયા છે. હવે લોકડાઉન હળવું થયું છે પરંતુ વેપાર-ધંધામાં માલની સપ્લાય પૂરતી નહીં મળતા અનેક વેપારીઓએ હજુ દુકાન ખોલી નથી. જયાં સુધી લોકડાઉન સંપૂર્ણ નહીં ખૂલે અને ટ્રાન્સપોર્ટેશન પૂર્વવત નહીં થાય ત્યાં સુધી બજારોમાં ખરાબ માહોલ જોવા મળશે. તમામ ‘તહેવારો’ ફિક્કા જ રહેશે તહેવારોની વાત કરીએ તો આગામી સમયમાં આવનાર દરેક તહેવારો જેવા કે, રમઝાન ઈદ, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. પરંતુ જાણકારોએ આવેલી માહિતી મુજબ કોરોનાનો કહેર ૨૦૨૦ સુધી રહેવાનો હોવાથી ઉત્સવ પ્રિય જૂનાગઢ શહેર જીલ્લામાં મોટાભાગનાં તહેવારો દર વર્ષની જેમ ઉજવણી થઇ શકશે નહીં ફિકકી ઉજવણી રહેવાની સંભાવના છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #junagdha korona kes

error: Content is protected !!