કેશોદ નગરપાલિકાના પ્રમુખ હાલમાં હોમ કોરેન્ટાઈન હોવા છતાં જ્યાં ત્યાં ફરી રહ્યા હોવાની પોલીસમાં રજૂઆત

0

કોરોના સંક્રમણને અટકાવવા કોરોના પોઝીટીવ દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરી તે વિસ્તારને બફર ઝોન જાહેર કરી દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરવામાં આવે છે. શરૂઆતમાં તંત્ર દ્વારા કડક અમલવારી કરાવવામાં આવતી હતી પણ હાલ પોઝીટીવ કેસોનો સતત આંકડો વધતા તંત્ર દ્વારા નિયમોની અમલવારીમાં ઢીલી નીતિ અપનાવાતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કેશોદ નગરપાલિકાના પ્રમુખના પરિવારમાં કોરોનાનો પોઝીટીવ કેસ આવેલ છે તેવા સમયે પ્રમુખે પોતે હોમ કોરેનટાઈન રહેવું જોઈએ તેમ છતાં નગરપાલિકા પ્રમુખ કાયદાના દાયરામાં રહેવાની જગ્યાએ હોમ કોરેનટાઈન થયેલ હોવા છતાં પાલિકા પ્રમુખ જ્યાં ત્યાં ફરી રહ્યા છે અને જાહેર કાર્યક્રમમાં પણ હાજર રહી સરકારના નિયમોની એસી તૈસી કરી રહ્યા છે. તો બીજી તરફ કેશોદના પ્રથમ નાગરિક એવા પ્રમુખ દ્વારા જ કલેકટર જૂનાગઢને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેશોદમાં હોમ કોરેનટાઈન થયેલા લોકો જ્યાં ત્યાં ફરી રહ્યા છે જેથી સંક્રમણ ફેલાવાનો ભય છે. છતાં પોલીસ આવા લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરતી નથી તો એ બાબતે નગરપાલિકા પ્રમુખ પોતે જ નિયમોનો ભંગ કરતા હોય ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી વેપારી અગ્રણી રાજુભાઈ બોદર તથા કોંગ્રેસના હોદેદારોએ કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખીતમાં રજૂઆત કરી નગર પાલિકા પ્રમુખ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!