જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ડિરેકટરોની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થશે

0

જૂનાગઢની અત્યંત મહત્વની માર્કેટીંગ યાર્ડના ડિરેકટરો માટેની ચૂંટણીએ ભારે ગરમાવો લાવી દીધો છે. આગામી તા. ૧૬મીના રોજ યોજાનાર આ ચૂંટણી માટે ફોર્મ ભરવા, ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ આજે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનો સમય નિયત હોય આ પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી રહી છે અને જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ખેંચવાની કાર્યવાહી થઈ રહી છે. આજે બપોર બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ કે જેને વિરાટ કદ આપવામાં વર્તમાન ચેરમેન ભીખાભાઈ ગજેરાએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. તેઓએ નિવૃત્તિકાળ જાહેર કરેલ છે અને આગામી આ ચૂંટણીમાં યોગ્ય વ્યક્તિઓના હાથમાં યાર્ડનું સુકાન રહે તેવા પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવશે. બીજીતરફ ૧૬મી તારીખની યોજાનારી આ ચૂંટણીમાં નવા સમીકરણો રચાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. આખી બોડી નવા જ સભ્યોની ચૂંટણીથી કરવામાં આવે અને ખેડૂતોનું રક્ષણ કરે તેવી સમિતિ ચૂંટણી કાઢવા ખેડૂત મતદારોએ અત્યારથી જ મન મનાવી લીધું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!