૧૦૦ કરોડથી વધુના ટર્ન ઓવર ઉપર ઇ-ઇન્વોઇસ ફરજીયાત

0

નવા વર્ષથી ઇ-ઇન્વોઇસ પ્રણાલીમાં ફેરફાર થવાના છે. હવે ૧ જાન્યુઆરી ર૦ર૧ થી ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે ટર્ન ઓવર વાળા ધંધાર્થીઓ માટે બિઝનેસ ટુ બિઝનેસ લેવડ દેવડ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત બની જશે. નાણા સચિવ અજય ભુષણ પાંડેએ કહયું કે ઇ-ઇન્વોઇસ પ્રણાલી હાલમાં જીએસટી રીટર્ન ભરવા માટે નાના ધંધાર્થીઓ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ધંધાર્થીઓ માટે ફાયદાકારક થશે.આ ઉપરાંત ૧ એપ્રિલ, ર૦ર૧ થી બધા કરદાતાઓ માટે બિઝનેસ ટુ બિઝનેસ લેવડ દેવડ ઉપર ઇ-ઇન્વોઇસ ફરજીયાત બની જશે. જીએસટી કાયદા હેઠળ આવી લેવડ દેવડ માટે ૧ ઓકટોબરથી પ૦૦ કરોડથી વધારે ટર્ન ઓવરવાળી કંપનીઓ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત બનાવી દેવાયું છે. પાંડેએ કહયું કે તે ફીઝીકલ ઇન્વોઇસની જગ્યા લેશે. અને ટૂંક સમયમાં ઇ-વે બીલ પ્રણાલીને હટાવી દેશે. ઇ-ઇન્વોઇસ સીસ્ટમ લાગુ થયાના ૭ દિવસમાં ઇન્વોઇસ રેફરન્સ નંબર જનરેશન ૧૬૩ ટકા વધી ગયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!