રાષ્ટ્રધર્મ વિજય પદયાત્રાનું જૂનાગઢમાં સ્વાગત કરાયું

0

૧પ માસના ભારત પરિભ્રમણ બાદ રાષ્ટ્રધર્મ વિજય પદયાત્રાનું ગઈકાલે જૂનાગઢમાં આગમન થયું છે. દરમ્યાન વિશ્વ હિંદુ પરિષદ, જૂનાગઢ મહાનગર દ્વારા સ્વામિ નર્મદાનંદજીનું પારંધારિક રીત સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું. જયારે સ્વામિજીએ દામોદરકુંડની મુલાકાત લઈ ધાર્મિક મહત્વ જાણ્યું હતું. બાદમાં દામોદર કુંડ ખાતે પૂજન કર્યુ હતું. દરમ્યાન બે દિવસ ધર્મસભાનું આયોજન હોય બે દિવસ સ્વામિજી ભારતી આશ્રમ ખાતે રોકાણ કરશે. ગઈકાલે સાંજે ૬-૩૦ થી ૭ સુધી ભારતી આશ્રમ ખાતે ધર્મસભા યોજાઈ હતી. જયારે શનિવારે પણ સાંજના ૬-૩૦ થી ૭ સુધી ધર્મસભાનો લાભ મળશે. દરમ્યાન આજે શરદ પૂર્ણિમા હોય સ્વામિજી વહેલી સવારે ૪ વાગ્યે ગિરનાર પર્વતના પગથીયા ચડીને માં અંબાજીના દર્શન કરી આર્શિવાદ પ્રાપ્ત કરશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!