ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા દ્વારકાધામથી પગપાળા યાત્રા કરાઈ

0

દેવભૂમિ દ્વારકા ધાર્મિક આસ્થાનું પ્રતિક મનાય છે અને ભાવિકો પગપાળા યાત્રા કરી દેવસ્થાનોના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા તા. ૩-૧૧-ર૦ર૦ના રોજ દ્વારકાથી ૯૦ કિ.મી.ની પગપાળા યાત્રાનો પ્રારંભ કરી આલબાઈ માતાજીનો ડુંગર, જુંગી વોરાદાદાનાં મંદિરનાં દર્શનનો લાભ લીધો હતો. આ પગપાળા યાત્રા બે દિવસ ચાલી હતી જે તા. પ-૧૧-ર૦ર૦ના રોજ પૂર્ણ થઈ હતી. આલબાઈ માતાજીને પાંચ હજાર વર્ષ પહેલાં દુર્વાશા ઋષિએ પ્રગટ કર્યા હોવાની લોકવાયકા છે. આ પગપાળા યાત્રામાં ચંદ્રકાંતભાઈ ચોપડા, સચીનભાઈ સવાણી, મનીષાબેન, સાગર નકુમ, પ્રકાશ નકુમ, ધર્મેન્દ્રભાઈ હડીયલ વગેરે જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!