વેરાવળ સિવીલ હોસ્પીટલના તબીબો અને સ્ટાફે કોરોનામાંથી મુકિત માટે ૭ કી.મી.ની સોમનાથ મંદિર સુધી પદયાત્રા કરી

0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વ્યાપ ન ફેલાય તે માટે ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળ સિવીલ હોસ્પીટલના સુપ્રીટેન્ડન્ટના નેજા હેઠળ મેડીકલ સ્ટાફે વેરાવળથી સોમનાથ સુધીની પદયાત્રા કરી સોમનાથ મહાદેવને દેશવાસીઓને કોરોનામાંથી વહેલી મુકિત અપાવવા પ્રાર્થના કરી હતી.
જીલ્લાકક્ષાની વેરાવળ સિવીલ હોસ્પીટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. જીજ્ઞેશ પરમારની આગેવાનીમાં તબીબો અને મેડીકલ સ્ટાફ દ્વારા વેરાવળથી સોમનાથની ૭ કી.મી.ની પદયાત્રા કરી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તમામ તબીબો અને સ્ટાફે ગીર સોમનાથ જીલ્લામાં કોરોના ચેપનો વ્યાપ વધુ ન ફેલાય અને દેશવાસીઓ વહેલીતકે કોરોનોમાંથી મુક્ત થાય તેવી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. સિવીલના તબીબો અને સ્ટાફ મંદિરે પહોંચેલ ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામનું સ્વાગત કરી આવકાર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!