કેશોદ શહેરમાં ૭ માર્ચે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

0

કેશોદ શહેરમાં તા.૭/૩/૨૦૨૧નાં રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું છે. કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે, પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ અને કેશોદનાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે દર્દીઓને તપાસવામાં આવશે. આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પમાં આંતરડા, લીવર, ચામડીના રોગ, આંખની બિમારી, બાળરોગ, સ્ત્રી રોગ, હાથ પગ સાંધાના રોગ સહિતના તમામ પ્રકારના રોગોને તપાસવામાં આવશે. ડાયાબીટીસ ચેકઅપ અને હિપેટાઇટિસ બીનું ચેકઅપ કરી આપવામાં આવશે. જૂનાગઢના હરેશ ગૃપ દ્વારા જરૂરતમંદ  દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. કેશોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સર્વ રોગ નિદાન કેમ્પમાં લાભ લેવા આહિર એક્તા મંચના પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને કેશોદ આહિર સમાજના પ્રમુખ કરસનભાઈ બોદરે અપીલ કરી છે. કેશોદ શહેરમાં યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં જાેડાવા ઈચ્છતા લાભાર્થી દર્દીઓએ ક્રિષ્ના ડિજીટલ સાઈન-કેશોદ મો.નં.૮૦૦૦૫ ૬૮૬૫૬ સ્ટુડિયો મુરલીધર મોં.નં.૮૧૪૦૬ ૩૩૦૬૨ ઉપર વધુ માહિતી અને નામ નોંધાવવા આયોજકોએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!