આપનાં નેતા ઈસુદાન ગઢવીએ દ્વારકાધીશનાં દર્શન કર્યા

0

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી દ્વારકામાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત ૮૪ બ્રાહ્મણનાં આગેવાનો દ્વારકાનાં મુખ્ય મંદિરે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા, પરંતુ કોઈ કારણોસર આજના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ના આવતા દ્વારકાનાં સમસ્ત બ્રહ્મ સમાજ આગેવાનોએ ઇસુદાન ગઢવીને શાંતિ પૂર્વક રજૂઆત કરી હતી કે, ગોપાલ ઇટાલિયાએ જે બ્રહ્મ સમાજ, કર્મકાંડી બ્રાહ્મણ અને કથાકારો વિષે લાગણી દુભાઈ તેવી ટીપ્પણી કરી હતી તેની દ્વારકાધીશ મંદિરનાં પરિસરમાં આવી માફી માંગે તેવી માંગણી કરી હતી. આ ચર્ચામાં આપ નેતા ઇસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયા વતી સમસ્ત બ્રાહ્મણ પરિવારની માફી માંગી હતી અને ભવિષ્યમાં ગોપાલ ઇટાલિયા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આવશે અને બ્રાહ્મણ સમાજની માફી માંગશે તેની ખાતરી આપું છું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!